![પપૈયાનું સેવન માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ નુકસાનકારક નથી,પરંતુ આ સમસ્યાઓમાં પણ થાય છે, તેની આડઅસરો](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/f498700bb5e23abcea3547e85bd1afe38ad0a54a7eee618dc2456c3f598bc667.webp)
પપૈયાની સ્વાસ્થય માટે ફાયદાકારક છે એની સાથે સાથે પપૈયાની આડ અસરો પણ ઘણી છે, વિટામિન્સ, ફાઈબર અને મિનરલ્સથી ભરપૂર પપૈયું એક એવું ફળ છે જે વર્ષના બાર મહિના ઉપલબ્ધ રહે છે. તેના સેવનથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હાર્ટ અને કેન્સરના દર્દીઓ માટે પપૈયું ખૂબ જ ફાયદાકારક ફળ છે. ફળ તરીકે ખાવા ઉપરાંત તેને સલાડ અને જ્યુસ તરીકે પણ વાપરી શકાય છે. ઘણા બધા ફાયદાઓથી ભરપૂર હોવા છતાં પપૈયાનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક છે. તો જો તમે પણ અહીં જણાવેલ સમસ્યાઓથી પરેશાન છો તો પપૈયાનું સેવન કરવાનું કરવું જોઈએ.
પપૈયાની આડઅસરો
1. ગર્ભાવસ્થા દરમિયાન :-
સગર્ભા સ્ત્રીઓએ પપૈયાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે કાચા કે અડધા પાકેલા પપૈયામાં લેટેક્ષ અને પપૈન હોય છે જે ગર્ભસ્થ બાળક માટે હાનિકારક છે. જેના કારણે પ્રી-મેચ્યોર ડિલિવરી થઈ શકે છે.
2. કિડની પથરીમાં :-
કિડની સ્ટોનના દર્દીઓએ પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. પપૈયામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જેનું વધુ પડતું સેવન કરવાથી પથરીની સમસ્યા વધી શકે છે. પપૈયા ખાવાથી કેલ્શિયમ ઓક્સાલેટની સ્થિતિ સર્જાઈ શકે છે, કિડનીમાં રહેલ સ્ટોનનું કદ પણ વધે છે.
3. કોઈપણ એલર્જી :-
પપૈયાનું સેવન એવા લોકો માટે પણ હાનિકારક છે જેમને કોઈપણ પ્રકારની એલર્જી હોય છે. પપૈયામાં ચિટીનેઝ એન્ઝાઇમ હોય છે. જે લેટેક્ષ સાથે પ્રતિક્રિયા આપી શકે છે. જેના કારણે છીંક આવવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ અને આંખની સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે.
જેમનું બ્લડ સુગર ઓછું રહે છે તેવા લોકોએ પણ પપૈયું ન ખાવું જોઈએ. એટલે કે હાઈપોગ્લાયસીમિયાનાં દર્દીઓ. આ એટલા માટે છે કારણ કે તેમાં એન્ટિ-હાઈપોગ્લાયકેમિક એટલે કે ગ્લુકોઝ ઘટાડનારા પદાર્થો હોય છે. જે પરિસ્થિતિને ખતરનાક બનાવી શકે છે.