Connect Gujarat
Featured

રાજ્યમાં આજે કોરોનાના 490 કેસ નોધાયા, 707 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે કોરોનાના 490 કેસ નોધાયા, 707 દર્દીઓ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 490 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમા કુલ કેસનો આંકડો 257342 પર પહોંચ્યો. સાથે કુલ મૃત્યુઆંક 4371 પર થયો છે.

રાજ્યમાં હાલ 5748 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,47,223 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 51 દર્દી વેન્ટીલેટર પર છે અને 5697 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં 490 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 102, સુરત કોર્પોરેશનમાં 81, વડોદરા કોર્પોરેશનમાં 71, રાજકોટ કોર્પોરેશનમાં 53, વડોદરા 23, સુરત 17, રાજકોટ 12, કચ્છ 14, ભાવનગર કોર્પરેશનમાં 10, મહેસાણામાં-10, ગાંધીનગરમાં 8 અને દાહોદમાં 7 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

રાજ્યમાં આજે કુલ 707 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 96.07 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,69,999 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

Next Story