અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : મૃતકના પરિવારોને ટાટા ગ્રુપ દ્વારા રૂ. 1 કરોડની સહાયની જાહેરાત

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ.

author-image
By Connect Gujarat Desk
New Update
fire air

fire air

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ.

આ સમયે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઘાયલ થયા છે." 

આ ઉપરાંત, ટાટા સન્સ દ્વારા વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા લખ્યું છે કે, "ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય પૂરી પાડશે. અમે ઘાયલોનો તબીબી ખર્ચ પણ સહન કરીશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ." 

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ANI સાથે વાત કરતા જણાવ્યું છે કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનની સીટ 11A માંથી એક વ્યક્તિ જીવિત મળી આવી છે. આ વ્યક્તિની હાલત ગંભીર હોવા છતાં, તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, અને ડોકટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

અગાઉ, પોલીસ કમિશનર જી.એસ. મલિકને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. પરંતુ, એએનઆઈ સાથે સાથેની વાતચીતમાં તેમણે પોતાના અગાઉના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. એક વ્યક્તિ હજુ પણ જીવિત છે, તેની સારવાર ચાલી રહી છે."

વિમાનમાં સવાર 242 લોકોમાંથી 169 ભારતીય, 7 પોર્ટુગીઝ, 53 બ્રિટિશ અને એક કેનેડિયન નાગરિક હતા. આ અકસ્માત અમદાવાદના મેઘનાની નગર વિસ્તારમાં થયો હતો, જે એરપોર્ટથી થોડા અંતરે આવેલો છે. 

Read the Next Article

છત્તીસગઢમાં વરસાદમાં પણ નક્સલ વિરોધી કાર્યવાહી પૂરી તાકાતથી ચલાવવામાં આવશે,અમિત શાહનું અલ્ટીમેટમ

31-માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલીઓનો સંપૂર્ણ સફાયો કરવાનું છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારો આ દિશામાં ઝડપથી સાથે મળીને કામ કરી રહી છે:અમિત શાહ

New Update
AMIT SHAH

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે છત્તીસગઢમાં મોટી જાહેરાત કરી અને નક્સલવાદ સામે નિર્ણાયક લડાઈ ની જાહેરાત કરી, તેમણે કહ્યું કે સરકારનું લક્ષ્ય 31-માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલીઓનો સંપૂર્ણ સફાયો કરવાનું છે, અને કેન્દ્ર અને રાજ્ય સરકારો આ દિશામાં ઝડપથી સાથે મળીને કામ કરી રહી છે.

અમિત શાહે કહ્યું, આ વખતે નક્સલીઓને વરસાદમાં પણ આરામ મળશે નહીં. નક્સલીઓ સામેનું ઓપરેશન ચાલુ રહેશે. આ ઓપરેશન કોઈપણ હવામાન પર નિર્ભર રહેશે નહીં. આપણા સુરક્ષા દળો સંપૂર્ણ તાકાતથી કામ કરી રહ્યા છે અને આ લડાઈ નિર્ણાયક વળાંક પર પહોંચી ગઈ છે.

પહેલા નક્સલીઓ ચોમાસા દરમિયાન જંગલો અને દુર્ગમ વિસ્તારોમાં છુપાઈને ભાગી જતા હતા, પરંતુ હવે આવું નહીં થાય. આ વખતે તેમને શાંતિથી સુવા પણ દેવામાં આવશે નહીં. શાહે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ચર્ચાની કોઈ જરૂર નથી, નક્સલીઓએ હથિયારો મૂકીને આત્મસમર્પણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ શરણાગતિ સ્વીકારવાની શ્રેષ્ઠ તક છે, જે નક્સલવાદીઓ માટે ચૂકી જવાથી નુકસાન થશે.

ગૃહમંત્રીએ છત્તીસગઢ સરકારની નવી નક્સલવાદી શરણાગતિ નીતિની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે એક સકારાત્મક પહેલ છે, જે મુખ્ય પ્રવાહમાં પાછા ફરનારાઓને સારા ભવિષ્ય અને સન્માનજનક જીવનની તક આપશે. તેમણે નક્સલવાદીઓને હિંસાનો માર્ગ છોડીને દેશની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા અપીલ કરી.

પોતાના સંબોધનમાં, શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "વિકસિત ભારત" ના વિઝનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ સ્વપ્ન ફક્ત માળખાગત સુવિધાઓ, નવીનતા અને આર્થિક પ્રગતિ સુધી મર્યાદિત નથી, પરંતુ તે સમયસર ન્યાય અને સામાજિક સ્થિરતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું કે ભારતને નક્સલવાદ જેવી સમસ્યાઓથી મુક્ત કરીને જ વાસ્તવિક વિકાસ સુનિશ્ચિત કરી શકાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ દળ તૈનાત કરવા, રસ્તાઓ અને સંદેશાવ્યવહાર નેટવર્કનો વિસ્તાર કરવા અને સ્થાનિક લોકોને શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વ્યાપક કાર્ય કરવામાં આવ્યું છે. આને કારણે, નક્સલવાદીઓનો ટેકો નબળો પડ્યો છે અને ઘણા વિસ્તારો તેમનાથી મુક્ત થયા છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો કેન્દ્ર અને રાજ્ય આ પ્રતિબદ્ધતા સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખે તો નિર્ધારિત સમય પહેલાં નક્સલવાદ નો નાશ થઈ શકે છે.