CSK પ્લેઓફની રેસમાંથી બહાર, ચેપોકમાં પંજાબે ખરાબ રીતે હરાવ્યું; ચહલે લીધી હેટ્રિક

IPL 2025 ની 49મી મેચમાં, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું. પંજાબની જીતના હીરો લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને કેપ્ટન શ્રેયસ ઐયર હતા.

New Update
csk file

IPL 2025 ની 49મી મેચમાં, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું. પંજાબની જીતના હીરો લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને કેપ્ટન શ્રેયસ ઐયર હતા. ચહલે બોલિંગમાં હેટ્રિક લઈને કમાલ કરી અને પછી ઐયરે બેટથી ચેન્નાઈના બોલરોને બરાબર ફટકાર્યા. આ હાર સાથે, ચેન્નાઈ IPL 2025 માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

Advertisment

ચેપોક ખાતે પ્રથમ બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે સેમ કરનના 88 રનની મદદથી 190 રન બનાવ્યા. જવાબમાં, પંજાબ કિંગ્સે છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો. પંજાબ તરફથી કેપ્ટન શ્રેયસ ઐયરે 41 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી. તે જ સમયે, ઓપનર પ્રભસિમરન સિંહે પણ અડધી સદી ફટકારી.

ચેન્નાઈ દ્વારા આપવામાં આવેલા ૧૯૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પંજાબની શરૂઆત સારી રહી હતી. પંજાબની પહેલી વિકેટ 5મી ઓવરમાં 44 રનના કુલ સ્કોર પર પડી. પ્રિયાંશ આર્ય 15 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 23 રન બનાવીને આઉટ થયો. આ પછી, પ્રભસિમરન સિંહ અને શ્રેયસ ઐયરે ચેન્નાઈના બોલરોને આડેહાથ લીધા. બંનેએ મેદાનની આસપાસ મુક્તપણે શોટ રમ્યા.

પ્રભસિમરન સિંહ 36બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. જ્યારે તે આઉટ થયો ત્યારે એવું લાગતું હતું કે હવે ચેન્નાઈ વાપસી કરશે, પરંતુ ઐયરે એવું થવા દીધું નહીં. તે એકલા હાથે ટીમને લક્ષ્ય તરફ લઈ જતો રહ્યો. આ દરમિયાન, નેહલ વાઢેરા પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ ઐયરે ઝડપથી રન બનાવવાનું ચાલુ રાખ્યું.

Advertisment
Latest Stories