Connect Gujarat
દેશ

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, "આપ" દ્વારા કડક સુરક્ષાની કરાય માંગ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, આપ દ્વારા કડક સુરક્ષાની કરાય માંગ
X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાતમાં દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે 1 વાગ્યે બંને નેતાઓ અમદાવાદ એરપોર્ટ આવશે. 1.30 વાગ્યે સિંધુભવન રોડ પર આવેલી હોટલ તાજ સ્કાયલાઈનમાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા પ્રેસ કોન્ફરન્સ કરશે.બપોરે 2 વાગ્યે તેઓ હિંમતનગર ટાઉન હોલના કાર્યક્રમમાં જશે.

આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતની જનતાને વધુ એક ગેરેન્ટી આપવામાં આવશે. લોકો સાથે સંવાદ બાદ તેઓ મોડી સાંજે અમદાવાદ હોટલ પર પરત ફરશે. બીજા દિવસે 23 ઓગસ્ટે તેઓ ભાવનગર જવા રવાના થશે. જ્યા તેઓ યુવા અને શિક્ષા બાબતે લોકો સાથે સંવાદ કરશે. ભાવનગર ખાતે કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ અમદાવાદ પરત ફરશે અને બાદમાં દિલ્લી પરત ફરશે.તાજેતરમાં જ શરાબ આબકારી નીતિ મામલે મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડ્યા હતા. આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ તેઓને અંગત સૂત્રોથી માહિતી મળી છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ઉપર હુમલો થઈ શકે છે જેથી તેમની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર 50 જેટલા વકીલો સાથે મળીને ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવે તેના માટે ગાંધીનગરના ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર, હિંમતનગર એસપી,ભાવનગર એસપીને આવેદનપત્ર આપી સુરક્ષાની માગ કરી હતી.

Next Story