પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો માટે ઈ-કે.વાય.સી. ફરજીયાત કરાયા...
આ યોજના હેઠળ તમામ ખેડૂતોને વાર્ષિક રૂપિયા ૬ હજાર પુરા ત્રણ સમાન હપ્તાથી ચુકવવાનું નિયત કરાયું છે

ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ ખેડૂતોને વાર્ષિક રૂપિયા ૬ હજાર પુરા ત્રણ સમાન હપ્તાથી ચુકવવાનું નિયત કરાયું છે, ત્યારે હવેથી પી.એમ.કિસાન યોજનાના આગામી હપ્તાની ચૂકવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ઈ-કે.વાય.સી. ફરજીયાત કરાયા છે.
આ યોજનાનો લાભ લેતા તમામ ખેડૂતોના હપ્તાની ચૂકવણી આધારકાર્ડ સાથે લિંક બેંક ખાતામાં જ કરવાનું નક્કી કરેલ હોઈ, લાભ લેતા તમામ ખેડૂતોને જણાવવાનું કે, તાલુકાના કોમન સર્વિસ સેન્ટર (જન સુવિધા કેન્દ્ર) મારફત ઈ-કે.વાય.સી. કરાવી લેવા જણાવવામાં આવે છે. ઈ-કે.વાય.સી. માટે આધાર કાર્ડ લઇ જન સુવિધા કેન્દ્ર ખાતે પોતેજ જવાનું રહેશે. ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવા માટેની છેલ્લી તારીખ ૩૧/૦૫/૨૦૨૨ છે. જેમાં ઠરાવની જોગવાઈ મુજબ સદર કાર્યવાહીના રૂ.૧૫/-લાભાર્થીએ જન સુવિધા કેન્દ્રને ચૂકવવાના રહેશે. તેમ ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.