અંકલેશ્વર: ગોલ્ડનબ્રિજ નજીક ભાઈની નજર સામે  નર્મદા નદીમાં તણાય જનાર યુવતીનો બીજા દિવસે મળ્યો મૃતદેહ

અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ ભાઈ બહેન પૈકી બહેન ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ જનાર યુવતીનો બીજા દિવસે મૃતદેહ નદીમાંથી જ મળી આવ્યો હતો.

New Update

ગોલ્ડનબ્રિજની અંકલેશ્વર તરફનો બનાવ

ભાઈ બહેન નર્મદા નદીમાં નાહી રહ્યા હતા

ભાઈની નજર સામે જ બહેન નદીમાં તણાય

બહેનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો

પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા પડેલ ભાઈ બહેન પૈકી બહેન ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ જનાર યુવતીનો બીજા દિવસે મૃતદેહ નદીમાંથી જ મળી આવ્યો હતો.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુ સિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાય ગઈ હતી જેના પગલે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ તેમજ ફાયર વિભાગે યુવતીની શોધખોળ શરૂ કરી હતી ત્યારે બીજા દિવસે નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મધુ સિંહના 2 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા ત્યારે નર્મદા નદીમાં નહાવા જતા તેનું અકાળે મોત નિપજ્યું હતું.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.