Connect Gujarat
દેશ

અબકી બાર પંજાબ સરકાર ! કૃષિ કાયદા રદ્દ કરવાની જાહેરાત સાથે જ આવ્યા ભાજપ માટે ગુડ ન્યૂઝ

ત્રણેય કૃષિ કાયદાઓ રદ થયા બાદ હવે પંજાબના રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરે સિંહે

અબકી બાર પંજાબ સરકાર ! કૃષિ કાયદા રદ્દ કરવાની જાહેરાત સાથે જ આવ્યા ભાજપ માટે ગુડ ન્યૂઝ
X

ત્રણેય કૃષિ કાયદાઓ રદ થયા બાદ હવે પંજાબના રાજકારણમાં જોરદાર ગરમાવો આવ્યો છે. પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરે સિંહે કહ્યું કૃષિ કાયદા પરત ખેંચતા ખુશી વ્યક્ત કરી. સાથેજ તેમણે જાહેર કરી દીધું કે હવે તેઓ સાથે કામ કરવા માટે ઉત્સુક છે. કેપ્ટનના નિવેદન પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે 2022માં ભાજપ અને કેપ્ટન એક સાથે પંજાબમાં ચૂંટણી લડવાના છે. કાયદો હટાવ્યા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'શાનદાર સમાચાર! ગુરુનાનક જયંતીના શુભ અવસર પર, દરેક પંજાબીની માંગણીઓ સ્વીકારવા અને 3 કાળા કાયદાને રદ કરવા બદલ PM નરેન્દ્ર મોદીજીનો આભાર. મને ખાતરી છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના વિકાસ માટે કામ કરતી રહેશે! પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ કોંગ્રેસે સમગ્ર ઘટનાને ખેડૂતોની જીત ગણાવી હતી. કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, તૂટી ગયું અભિયાન, જીતી ગયા મારા દેશના ખેડૂત. તો કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર નિશાન શાધ્યું હતું અને કહ્યું કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝૂકાવી દીધું. અન્યાય વિરૂદ્ધની આ જીત મુબારક હો! જય હિંદ, જય હિંદ કા કિસાન!

Next Story