Connect Gujarat
દેશ

મહાત્મા ગાંધીના પૌત્રનું 89 વર્ષની વયે કોલ્હાપુરમાં નિધન

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું 89 વર્ષની વયે અવસાન થયું છે. વાત જાણે એમ છે

મહાત્મા ગાંધીના પૌત્રનું 89 વર્ષની વયે કોલ્હાપુરમાં નિધન
X

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું 89 વર્ષની વયે અવસાન થયું છે. વાત જાણે એમ છે કે, અરુણ મણીલાલ ગાંધીનું મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. નોંધનીય છે કે, અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.અરુણ મણીલાલ ગાંધીના નિધનને લઈ તેમના પુત્ર તુષાર ગાંધીએ જણાવ્યું કે, તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે. અરુણ મણીલાલ ગાંધી મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના પુત્ર છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં થયો હતો. તેમના પિતા અહીં પ્રકાશિત થતા અખબાર ઈન્ડિયન ઓપિનિયનના સંપાદક હતા, જ્યારે તેમની માતા એ જ અખબારમાં પ્રકાશક હતા.

Next Story