Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળોએ લશ્કર અને જૈશના પાંચ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા

12 કલાકમાં પાંચ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળોએ લશ્કર અને જૈશના પાંચ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા
X

છેલ્લા 12 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં લશ્કર અને જૈશના પાંચ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટર બે જગ્યાએ ચાલી રહ્યું હતું અને 12 કલાકમાં પાંચ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ કમાન્ડર અને આતંકવાદી ઝાહિદ વાની અને પાકિસ્તાનના આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

ઘાટીના પુલવામા જિલ્લામાં ગઈકાલે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી હતી.પોલીસને જિલ્લાના નિયારા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું.

Next Story