ઝારખંડ : ગિરિડીહ પાસે નક્સલવાદીઓએ બોમ્બવિસ્ફોટ કરીને રેલવે-ટ્રેક ઉડાવ્યો,
BY Connect Gujarat27 Jan 2022 4:33 AM GMT
X
Connect Gujarat27 Jan 2022 4:33 AM GMT
ઝારખંડના ગિરિડીહ પાસે નક્સલવાદીઓએ ગઈ મોડી રાતે બોમ્બવિસ્ફોટ કરીને રેલવે-ટ્રેક ઉડાવી દીધો હતો. સુરક્ષાના ભાગરૂપે આ રૂટ પરની તમામ ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. રાજધાની સહિત ઘણી ટ્રેનના રૂટને બદલી દેવાયા છે. પૂર્વ-મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારના જણાવ્યા મુજબ વિસ્ફોટ રાતે 1.30 વાગ્યાની આસપાસ થયો હતો. આ વિસ્ફોટ ધનબાદ ડિવિઝનના કરમાબાદ-ચિચાકી સ્ટેશન વચ્ચે થયો હતો.
નક્સલવાદીઓએ દિલ્હી-હાવડા લાઈન પર આ વિસ્ફોટ કરતા ઘણી ટ્રેનની અવર-જવર પર તેની અસર પડી છે. રેલવે ટ્રેકને ઉડાવવાની સાથે અહીં એક પત્ર પણ મૂકવામાં આવ્યો છે.
Next Story