Connect Gujarat
દેશ

મિશન સૂર્યયાનને મળી વધુ એક સફળતા, ગણેશ ચતુર્થી પહેલા ISROએ આપી ખુશખબરી, જાણો શું.....

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય- L1 મિશનને લઈને એક નવું અપડેટ આપ્યું છે.

મિશન સૂર્યયાનને મળી વધુ એક સફળતા, ગણેશ ચતુર્થી પહેલા ISROએ આપી ખુશખબરી, જાણો શું.....
X

ગણેશ ચતુર્થી પહેલા-પહેલા ISROએ ખુશખબરી આપી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય- L1 મિશનને લઈને એક નવું અપડેટ આપ્યું છે. ઈસરોએ કહ્યું છે કે, આદિત્ય-એલ1 એ વૈજ્ઞાનિક ડેટા એકત્ર કરવાનું કામ શરૂ કરી દીધું છે. ISROએ X પરની તેની એક પોસ્ટમાં જણાવ્યું કે, આદિત્ય-L1માં સ્થાપિત STEPS ઈન્સ્ટ્રુમેન્ટના સેન્સર્સે પૃથ્વીથી 50 હજાર કિમીથી વધુના અંતરે સુપર-થર્મલ અને એનર્જેટિક આયનો અને ઈલેક્ટ્રોનને માપવાનું શરૂ કરી દીધું છે. ISRO અનુસાર આદિત્ય-L1 જે ડેટા એકત્ર કરશે તેનાથી વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ મળશે. આ આંકડો એક એકમ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ઊર્જાસભર કણોના વાતાવરણમાં ભિન્નતા દર્શાવે છે. આદિત્ય L-1ને 2 ઓગસ્ટના રોજ સવારે 11:50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે. આનાથી વૈજ્ઞાનિકોને સૂર્યના રહસ્યોને સમજવામાં મદદ મળશે.

Next Story