Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં આઇકોનિક સપ્તાહનું આયોજન,મંત્રી બ્રિજેશ મેરજા પણ ભાગ લેવા પહોંચ્યા

આ સંમેલનમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યના પંચાયત મંત્રી ઉપરાંત પંચાયત અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.

કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં આઇકોનિક સપ્તાહનું આયોજન,મંત્રી બ્રિજેશ મેરજા  પણ ભાગ લેવા પહોંચ્યા
X

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૧ એપ્રિલથી ૧૭મી એપ્રિલ-૨૦૨૨ સુધીના સપ્તાહને આઇકોનિક સપ્તાહ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને વિવિધ વર્કશોપ અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. જેમાં જિલ્લા,તાલુકા,ગ્રામ્ય કક્ષાએથી ચૂંટાયેલા પદાધિકારીઓને આઇકોનિક સપ્તાહમાં ભાગ લેવા જણાવવામાં આવ્યું છે.વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે યોજાનાર પંચાયતી રાજના મંત્રીઓની આ પરિષદમાં ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહી પરિષદ સંબોધન કરનાર છે.

પ્રથમ દિવસે આ સંમેલનને ભારતના રાષ્ટ્રપતિ શ્રી વૈયા નાયડુ ઉપસ્થિત રહી આ સંમેલનને ખુલ્લુ મુકાશે અને માર્ગદર્શન આપશે..આ સંમેલનમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યના પંચાયત મંત્રી ઉપરાંત પંચાયત અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. ગુજરાતમાંથી પ્રથમ દિવસે એટલે કે, તા.૧૧ એપ્રિલ-૨૦૨૨ના રોજ કુલ ૧૦૦ પદાધિકારીશ્રીઓ હાજર રહેનાર હોવાનું જણાવેલ છે. સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ થીમ પર તારીખ/વાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે

Next Story