Connect Gujarat
દેશ

PM મોદી આજે NCC રેલીને સંબોધશે, દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડમાં થશે કાર્યક્રમ

PM મોદી આજે NCC રેલીને સંબોધશે, દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડમાં થશે કાર્યક્રમ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે બપોરે 12 વાગ્યે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) રેલીને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ આ માહિતી આપી.

પીએમઓ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ રેલીનું આયોજન દર વર્ષે 28 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં એનસીસી કેડેટ્સની પરેડ પૂરી થયા બાદ કરવામાં આવે છે. આ દરમિયાન પીએમ મોદી ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત તેઓ NCC ટુકડીઓ દ્વારા માર્ચ પાસ્ટની સમીક્ષા કરશે. તેમાં એનસીસી કેડેટ્સ લશ્કરી કાર્યવાહી, માઇક્રોલાઇટ ફ્લાઇંગ, પેરાસેલિંગ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેમની કુશળતા દર્શાવતા પણ જોવા મળશે. શ્રેષ્ઠ કેડેટ્સને પીએમ મેડલ અને છડીથી સન્માનિત કરવામાં આવશે. જણાવી દઈએ કે બુધવારે દેશભરમાં 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખો દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે.

Next Story