Connect Gujarat
દેશ

અગ્નિપથ યોજના વિરોધ વચ્ચે 3000 ભરતી માટે આવી આટલી અરજી,વાયુસેનાએ આપી જાણકારી

કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે.

અગ્નિપથ યોજના વિરોધ વચ્ચે 3000 ભરતી માટે આવી આટલી અરજી,વાયુસેનાએ આપી જાણકારી
X

કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે. આ યોજનાનો એક બાજુ વિરોધ થઇ રહ્યો છે તો બીજી તરફ તાજેતરમાં એરફોર્સમાં જાહેર થયેલી અગ્નિપથ યોજનાની 3000 જગ્યાઓ માટે ત્રણ દિવસમાં 56960 અરજીઓ મળી છે.

કેન્દ્ર સરકારે 14 જૂને અગ્નિપથ યોજના રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 17 થી સાડા 21 વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષની મુદત માટે ભરતી કરવામાં આવશે, જેમાં થી 25 ટકા સામેલ કરવામાં આવશે. ભારતીય વાયુ સેના તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે છે કે તેને અગ્નિ પથ યોજના હેઠળ 3000 અગ્નિ વીરોની નિમણૂક માટે માત્ર ત્રણ દિવસમાં 56,960 અરજીઓ મળી છે. સ્કીમ સામે હિંસક વિરોધ થયાના એક સપ્તાહ બાદ શુક્રવારે નોંધણી શરૂ થઈ હતી. એરફોર્સે ટ્વિટ કર્યું, 56960! અગ્નિપથ ભરતી અરજી પ્રક્રિયા ના જવાબમાં આ વેબસાઇટ પર ફ્યુચર અગ્નિપથ તરફથી અત્યાર સુધી પ્રાપ્ત થયેલ અરજીઓની કુલ સંખ્યા છે. રજીસ્ટ્રેશન 5 જુલાઇના રોજ બંધ થશે. એરફોર્સ આ વર્ષે અગ્નિપથ યોજના હેઠળ 3,000 અગ્નિ વીરોની ભરતી કરશે.અગ્નિ વીરોની તાલીમ 30 ડિસેમ્બરથી શરૂ થશે.

Next Story