Connect Gujarat
દેશ

તામિલનાડુ : કલ્લાકુરિચીમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ, 5 લોકોના મોત

તામિલનાડુ : કલ્લાકુરિચીમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ, 5 લોકોના મોત
X

તામિલનાડુના કલ્લાકુરિચીમાં ફટાકડાની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. સમગ્ર ઘટનામાં 5 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, તામિલનાડુના CM દ્વારા મૃતકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ શહેરમાં એક ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણાને ઇજા થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે. સ્ટાલિને મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. અકસ્માતમાં ઘાયલોની સારવાર માટે 1 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કલ્લાકુરિચી જિલ્લાના કલેક્ટર પીએન શ્રીધરે જણાવ્યુ હતું કે, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, દિવાળીનો તહેવાતને કારણે ફટાકડાનો ઘણો જ સ્ટોક જમા હતો.

ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ દુર્ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 5-5 લાખ સહાયપ્રાથમિક અહેવાલો અનુસાર, દુકાનની સામે પાર્ક કરાયેલું એક ટૂ-વ્હીલર પણ ભીષણ આગની લપેટમાં આવી ગયું હતું. તામિલનાડુના સીએમ એમકે. સ્ટાલિને મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને રૂ. 5-5 લાખ સહાય આપવાની અને ઈમર્જન્સી વોર્ડમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી છે. જૂન મહિનામાં આ જ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર 2020માં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 7 લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા.

Next Story