Connect Gujarat
દેશ

કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ એક હિન્દુ શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દીધી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું

આતંકવાદીઓનો શિકાર બનેલા શિક્ષકની ઓળખ રજની બાલા તરીકે થઈ છે. તે મૂળ જમ્મુ વિભાગના સાંબા જિલ્લાના નાનકે ચક ગામના રહેવાસી

કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ એક હિન્દુ શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દીધી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
X

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લા હેઠળ આવતા ગોપાલપોરામાં આતંકવાદીઓએ એક હિંદુ શિક્ષકની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ હુમલાની અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી.

આતંકવાદીઓનો શિકાર બનેલા શિક્ષકની ઓળખ રજની બાલા તરીકે થઈ છે. તે મૂળ જમ્મુ વિભાગના સાંબા જિલ્લાના નાનકે ચક ગામની રહેવાસી હતી. તે ચાવલગામ કુપવાડામાં ભાડાના મકાનમાં રહેતી હતી. કાશ્મીર ઘાટીમાં 19 દિવસમાં કામ કરતા કાશ્મીરી હિન્દુની હત્યાની આ બીજી ઘટના છે. આ પહેલા 12 મેના રોજ આતંકીઓએ ચદૂરા તહસીલદાર ઓફિસમાં કામ કરતા ક્લાર્ક રાહુલ ભટ્ટની તેમની ઓફિસમાં જ હત્યા કરી નાખી હતી.

રાહુલ ભટ્ટની હત્યાને લઈને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં આક્રોશ ફેલાયો હતો, હજુ શાંતિ ન હતી ત્યાં ફરી બીજી હત્યા કરવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે આજે જે શિક્ષિકાની હત્યા કરવામાં આવી હતી તે રજની બાલા અનુસૂચિત જાતિના ક્વોટામાંથી નિયુક્ત કરવામાં આવી હતી. તેમનું પોસ્ટિંગ 2009માં કાશ્મીરમાં જ થયું હતું. તેમના પતિ રાજકુમાર પણ શિક્ષક છે. તેમની નવ વર્ષની પુત્રી છે, જે કુલગામની એક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે.

Next Story