Home > Featured > જુનાગઢ : અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોની મુલાકાતે આવ્યા વિપક્ષ નેતા, રાજ્ય સરકાર સહાય ચૂકવે તેવી માંગ
જુનાગઢ : અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોની મુલાકાતે આવ્યા વિપક્ષ નેતા, રાજ્ય સરકાર સહાય ચૂકવે તેવી માંગ
BY Connect Gujarat4 Sep 2020 11:12 AM GMT
X
Connect Gujarat4 Sep 2020 11:12 AM GMT
જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, ત્યારે અતિવૃષ્ટિનો ભોગ બનેલા ખેડૂતોની મુલાકાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવી પહોચ્યા હતા, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જુનાગઢ જીલ્લાના ઘેડ પંથકમાં આવેલા તિન્મસ, ગાડોઈ, બામણાસા, બાલાગામ, સરોડ અને ઓસા સહિતના ગામોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે, ત્યારે અતિવૃષ્ટિનો ભોગ બનેલા કેટલાક અસરગ્રસ્ત ગામોમાં ખેડૂતોને થયેલી નુકશાનીનો તાગ મેળવવા વિપક્ષ નેતા પરેશ ધાનાણી આવી પહોચ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ચામડી અને બામણાસા ગામના ખેડૂતોની મુલાકાત લીધી હતી. જેમાં ખેડૂતોને થયેલ પાક નુકશાની અંગે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Next Story