New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/012.jpg)
ગણપતપુરા અને કુરાલી વચ્ચેની લાઈન ઉપર સર્જાયી દુર્ઘટના
કરજણ તાલુકામાં હાલ વીજ કંપની દ્વારા મેઈન્ટનન્સનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન ગણપતપુરા અને કુરાલી વચ્ચેની લાઈન ઉપર આવેલી એક ડીપી ઉપર વીજ કંપનીનો કર્મી કામ કરી રહ્યો હતો. તેવામાં વીજ પુરવઠો ચાલુ હોવાથી ડીપી ઉપર ચઢેલા કર્મીને વીજ કરંટ લાગતાં ઉપર જ ચોંટી ગયો હતો. જેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. વીજ કર્મીનાં મોતને પગલે ભારે દોડધામ મચી હતી.