Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે 1204 નવા કેસ નોધાયા, 12 દર્દીના થયા મોત , 1338 દર્દીઑ થયા સાજા

કોવિડ-19 :  રાજ્યમાં આજે 1204 નવા કેસ નોધાયા, 12 દર્દીના થયા મોત , 1338 દર્દીઑ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં આજે કોવિડ-19ના 1204 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજે 1338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,26,508 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4160 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13481 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,08,867 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 68 દર્દી વેન્ટીલેટર પર છે અને 13413 લોકો સ્ટેબલ છે.

ગુજરાત રાજ્યમાં આજે 1204 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 251 , સુરત કોર્પોરેશનમાં 158, વડોદરા કોર્પોરેશનમાં 117, રાજકોટ કોર્પોરેશનમાં 98, મહેસાણા-43, વડોદરા- 40, ગાંધનીગર- 34, કચ્છ-33, જામનગર કોર્પોરેશન-30, દાહોદ-29, રાજકોટ-28, સાબરકાંઠા-23, ગાંધીનગર કોર્પોરેશન- 22, ખેડા-22, અમરેલી-20, મોરબી-20, સુરત-20, જામનગર-19, પાટણમાં 18 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાને કારણે 12 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, આણંદ-1, મહેસાણા-1, નવસારી-1, રાજકોટ કોર્પોરેશન-1 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયુ છે.

રાજ્યમાં આજે કુલ 1338 દર્દી સાજા થયા હતા અને 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 86,13,587 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.21 ટકા છે.

Next Story