Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે 799 નવા કેસ નોધાયા, 834 દર્દીઑ થયા સાજા

કોવિડ-19 : રાજ્યમાં આજે 799 નવા કેસ નોધાયા, 834 દર્દીઑ થયા સાજા
X

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 799 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 7 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,44,258 પર પહોંચી છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4302 પર પહોંચ્યો છે.


રાજ્યમાં હાલ 9979 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,29,977 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 9917 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 799 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 157, સુરત કોર્પોરેશનમાં 117, વડોદરા કોર્પોરેશનમાં 99, રાજકોટ કોર્પોરેશનમાં 69, સુરત 30, વડોદરા-29, કચ્છ-26, ભરુચ-16, મહેસાણા-16, પંચમહાલ-16, આણંદ-15, દાહોદ-15, ગાંધીનગર-12, ગાંધીનગર કોર્પોરેશન-12, ખેડા-11, મોરબી-11, સાબરકાંઠામાં 10 કેસ નોંધાયા છે.


રાજ્યમાં આજે કોરોનાને કારણે 7 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં- 1, સુરત કોર્પોરેશનમાં-1 અને વડોદરામાં -1 દર્દીનું મોત થયું છે.


રાજ્યમાં આજે કુલ 834 દર્દી સાજા થયા હતા અને 54,708 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 95,98,108 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.15 ટકા છે.

Next Story