મધ્યપ્રદેશ: કમલનાથના આ બયાનને લઈને વિવાદ, નિવેદન વિરુદ્ધ શિવરાજસિંહના મૌન ધરણાં

New Update
મધ્યપ્રદેશ: કમલનાથના આ બયાનને લઈને વિવાદ, નિવેદન વિરુદ્ધ શિવરાજસિંહના મૌન ધરણાં

શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ નેતા કમલનાથ વિરુદ્ધ ધરણાં પ્રદર્શન શરૂ કર્યું હતું. શિવરાજસિંહની આ મૌન હડતાલ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ હતી અને બપોરે 12 વાગ્યા સુધી ચાલી હતી. શિવરાજસિંહ ચૌહાણે કમલનાથના નિવેદનની તુલના મહાભારતમાં દ્રૌપદી વિશે દુર્યોધનની ટિપ્પણી સાથે કરી હતી.

Advertisment

મધ્યપ્રદેશમાં પેટા-ચુંટણીની લડાઇ પહેલા મુખ્યમંત્રી કમલનાથના ઇમરતી દેવી અંગેના નિવેદન પર રાજનીતિ તીવ્ર બની છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની આગેવાનીમાં ભાજપના ઘણા નેતાઓએ કમલનાથના નિવેદનના વિરોધમાં બે કલાક મૌન ધારણ કર્યું હતું. આ મૌન હડતાલ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ હતી અને બપોરે 12 વાગ્યા સુધી ચાલી હતી. શિવરાજસિંહ ચૌહાણે કમલનાથના નિવેદનની તુલના મહાભારતમાં દ્રૌપદી વિશે દુર્યોધનની ટિપ્પણી સાથે કરી હતી.

બે કલાકના મૌન વ્રત પછી, જ્યારે શિવરાજસિંહ ચૌહાણે માઇક સંભાળ્યો, ત્યારે તેમણે કમલનાથ અને કોંગ્રેસ બંને ઉપર જોરદાર પ્રહાર કર્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે, મને સ્પષ્ટતાની અપેક્ષા હતી પરંતુ નિવેદનને શરમજનક રીતે વાજબી ઠેરવવામાં આવી રહ્યું છે. તમે મને અપશબ્દો કહી શકો છો, મને જુદા જુદા નામોથી બોલાવી શકો છો પરંતુ એક સ્ત્રી માટે આ પ્રકારનું નિવેદન બધી પુત્રીઓ અને માતાની વિરુદ્ધ છે. નવરાત્રી દરમિયાન મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે (કમલનાથ) બધી મર્યાદા ઓળંગી દીધી છે.

મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકો માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણીઓ યોજાવાની છે. કમલનાથ આ ચૂંટણીની આશામાં સત્તા પરત ફરવાનું સપનું જોતા હોય છે, પરંતુ ઇમરતી દેવી અંગેના નિવેદને તેમને બેકફૂટ પર ધકેલી દીધા છે. કમલનાથ હવે તેમના નિવેદનની સ્પષ્ટતા કરી રહ્યા છે.

કમલનાથે કહ્યું, "શિવરાજ જી તમે કહો છો કમલનાથે આઈટમ કહ્યું. હા, મેં તે આઈટમ કહ્યું, કારણ કે તે અસમ્માનજનક શબ્દ નથી. હું પણ એક આઈટમ છું, તમે પણ એક આઈટમ છો અને આ અર્થમાં આપણે બધા આઈટમ છીએ. લોકસભા અને વિધાનસભામાં એજન્ડાને આઈટમ લખાય છે, તે અનાદર છે? સામે આવીને મુકાબલો કરો. સહાનુભૂતિ અને દયા મેળવવાનો પ્રયાસ કરે તે છે જેમને લોકો સાથે દગો કર્યો છે.

Read the Next Article

BCCI એ એક મહત્વપૂર્ણ લીધો નિર્ણય, સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

New Update
scss

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Advertisment

BCCI એ હવે પોતાની સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો ખાસ કરીને લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નિયમથી ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી 2025-26 ની સ્થાનિક ક્રિકેટ સિઝનથી રેડ-બોલ મેચોમાં નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ICC ના કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ જેવો જ છે. હવે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેલાડી માટે ફક્ત લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટની જ મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંત અને ક્રિસ વોક્સના કેસ પછી લેવામાં આવ્યો છે. આ નિયમ હાલમાં માત્ર રેડ-બોલ અને અંડર-19 CK નાયડુ ટ્રોફીમાં લાગુ થશે, જ્યારે વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં નહીં.