દાહોદઃ જિલ્લામાં શાળા-કોલેજોમાં બંધની કોઈ અસર નહીં, રહ્યો મોળો પ્રતિસાદ

New Update
દાહોદઃ જિલ્લામાં શાળા-કોલેજોમાં બંધની કોઈ અસર નહીં, રહ્યો મોળો પ્રતિસાદ

બંધને લઈને દાહોદમાં પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી, વિરોધ કરી રહેલા કાર્યકરોની થઈ અટકાયત

દેશમાં વધી રહેલી મોંઘવારીના પગલે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવતાં દાહોદમાં પણ તેની અસર વર્તાયી હતી. દાહોદમાં પણ બજાર પણ બંધ રહ્યાં છે. તો કેટલીક જગ્યાએ કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધને મોળો પ્રતિસાદ સાંપડ્યો છે. તો દાહોદમાં સરકારી શાળા અને ખાનગી શાળાઓએ રાબેતા મુજબ ચાલુ રહી હતી. તો બંધને લઈને દાહોદમાં પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. પોલીસ દ્વારા દાહોદ જિલ્લાનાં કોંગ્રેસ કાર્યકર્તાઓને દાહોદ બસ સ્ટેશન પાસેથી તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા આજે સોમવારનાં રોજ અપાયેલા બંધને લઈને દાહોદ જીલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના હતી. શાળાઓ ચાલુ રાખવાનો આ નિર્ણય લેવામાં આવ્યો હતો દાહોદ કલેકટર વિજય ખરાડી કહ્યું હતું કે, આજે તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડનિગમની કચેરીઓ રાબેતા મુજબ ચાલું રહેશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે દાહોદ પોલીસ અધિકારી સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો હાથમાં લેશે તેમની સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને પગલે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતા. દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, દાહોદમાં 400 થી વધુ પોલીસ કર્મીઓ અને 40 થી વધુ પોલીસ અધિકારીઓ તથા SOG,ક્રામઈબ્રાંચ, મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સ્ટેન્ડ ટુ રહયા હતા. આ ઉપરાંત દાહોદમાં આવેલા સંવેદન વિસ્તારો પર પોલીસની બાઝ નજર સાથે પેટ્રોલીગ રાખવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ દાહોદ કોંગ્રેસ દવારા બંધને મોળો પ્રતિસાદ મળ્યો છે. જ્યારે દાહોદમાં ડી.પી.ઓ. એન.જી.વ્યાસ એ કહ્યું કહ્યું હતું કે, સરકારી શાળા અને ખાનગી શાળાઓએ રાબેતા મુજબ ચાલુ રહી હતી. અને પોલીસ દ્વારા દાહોદ જિલ્લા નાં કોંગ્રેસ કાર્યકર્તા ઓ ને દાહોદ બસ સ્ટેશન પાસેથી તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Read the Next Article

દાહોદ : સાંસદ દ્વારા સંચાલિત કે.જે.ભાભોર શાળામાં એલસી માટે વિદ્યાર્થી પાસેથી રૂ.5000 વસૂલ્યા,સ્ટિંગ ઓપરેશનમાં ફૂટ્યો ભાંડો

એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

New Update
  • શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો

  • સાંસદની કે.જે.ભાભોર સ્કૂલનો બનાવ

  • એલસી માટે વિદ્યાર્થી પાસેથી લીધા રૂપિયા

  • 5 હજારમાં વિદ્યાર્થીને આપ્યું એલસી

  • વાલીએ સમગ્ર ઘટનાનું કર્યું સ્ટિંગ ઓપરેશન

દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની કે.જે. ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની કે.જે. ભાભોર સ્કૂલ વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા.અને સામે આપેલી રસીદમાં કયા કારણોસર ફી લીધી એની નોંધ કરવામાં આવી ન હતી.આ અંગે વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.

આ અંગે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામાએ જણાવ્યું હતું કેપ્રથમ વખત એલ.સી. કઢાવવાનો કોઇ ચાર્જ હોતો નથી. જો આ શાળાએ એલ.સી. માટે ફી લીધી હશે તો એ નિયમ વિરૂદ્ધ છે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સરકારી શાળામાં કોઈ ફી નથી હોતીગ્રાન્ટેડ શાળામાં જોગવાઈ પ્રમાણે નોર્મલ ફી જે લેવા પાત્ર થતી હોય એ લઇ શકે છે અને જો ખાનગી શાળા હોય તો એફ.આર.સી. દ્વારા એને મંજૂરી આપવામાં આવેલી હોય છે. જે એફ.આર.સી.ના ધારાધોરણ મુજબ એ ફી લઇ શકતા હોય છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના બાબતે હવે શિક્ષણ વિભાગ શાળા વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરે છે કે પછી સાંસદની શાળા હોવાથી માત્ર તપાસનું તરકટ કરવામાં આવશે તે જોવું રહ્યું.

Latest Stories