રાજકોટ : ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ચિંતન શિબિર યોજાઇ
BY Connect Gujarat20 Dec 2020 12:41 PM GMT
X
Connect Gujarat20 Dec 2020 12:41 PM GMT
રાજકોટ જિલ્લાના ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. બેઠકમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો એક મંચ પર જોવા મળ્યાં હતાં.
રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે આવેલાં ખોડલધામના રંગમંચ ખાતે પાટીદાર સમાજના આગેવાનોની ચિંતન શિબિર યોજાઇ હતી. બેઠકમાં ભાજપ- કૉંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના આગેવાનો હાજર રહયાં હતાં. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની આગેવાનીમાં ગોરધન ઝડફિયા,જયેશ રાદડિયા, ધનસુખ ભડેરી,પરેશ ધાનાણી, ગોરધન ધામેલીયા, વીરજી ઠુંમ્મર, ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો એક સાથે જોવા મળ્યાં હતાં. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ કોઈ રાજકીય બેઠક નથી, માત્ર સમાજ ના કાર્યો માટે યોજાઈ હતી. હવેથી દર ત્રણ મહિને મીટીંગ યોજાશે અને જેમાં સમાજને લગતી ચર્ચાઓ કરવામાં આવશે.
Next Story