Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતે ત્રીજી T20Iમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવી શ્રેણી 3-0થી કબજે કરી

ભારતે ત્રીજી T20Iમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવી શ્રેણી 3-0થી કબજે કરી
X

ટીમ ઈન્ડિયાએ ત્રીજી T20 મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવીને શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં શ્રેયસ અય્યરે તોફાની અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યરે શાનદાર ઈનિંગ રમતા 45 બોલમાં 73 રન ફટકાર્યા હતા. ભારતની પ્રથમ વિકેટ પડી. રોહિત શર્મા 5 રન બનાવીને આઉટ થયો હતો. ચમીરાએ તેને પેવેલિયનમાં મોકલી દીધો

T-20 સિરીઝની છેલ્લી મેચમાં શ્રીલંકાએ ભારતને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. ધર્મશાલામાં રમાઈ રહેલી આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ આક્રમક બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 38 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી અવેશ ખાન અને મોહમ્મદ સિરાજે સારી બોલિંગ કરી હતી.

Next Story