Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: કે.એલ.રાહુલ લખનૌ તો શ્રેયસ ઐયર અમદાવાદની ટીમના કેપ્ટન બનશે ?

મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી કેપિટલ્સના પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયર અમદાવાદનું નેતૃત્વ કરશે

IPL: કે.એલ.રાહુલ લખનૌ તો શ્રેયસ ઐયર અમદાવાદની ટીમના કેપ્ટન બનશે ?
X

રિપોર્ટસ મુજબ કેએલ રાહુલને સંજીવ ગોએનકાની લખનઉ ફ્રેન્ચાઈઝીના કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમના સિવાય રાશિદ ખાન અને ઈશાન કિશન પણ આ ફ્રેન્ચાઈઝીનો ભાગ બની શકે છે. આ સિવાય CVC કેપિટલ્સની અમદાવાદની વાત કરીએ તો આ ટીમે પોતાના અમુક ખેલાડીઓની પસંદગી કરી છે. સામે આવેલા મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી કેપિટલ્સના પૂર્વ કેપ્ટન શ્રેયસ ઐયર અમદાવાદનું નેતૃત્વ કરશે. આ સિવાય આ ટીમમાં તેમની સાથે હાર્દિક પંડ્યા, ક્વિન્ટન ડી કૉક અથવા ડેવિડ વોર્નર જેવા હોનહાર ખેલાડીઓ જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટના બે અનુભવી ખેલાડી અને આઈપીએલ સ્ટાર્સ શિખર ધવન અને રવિચંદ્રન અશ્વિન પર પણ ટીમની નજર છે. આ ટીમ છે થાલા એટલેકે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ. અશ્વિન પ્રારંભિક સિઝનમાં આ ટીમનો ભાગ રહી ચૂક્યા છે. તો ધવનના રૂપમાં ટીમની એક સારા ઓપનર તરીકેની તલાશ પૂરી થઇ શકે છે.

Next Story