Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયામાં આંતરિક વિખવાદ? કોહલી વન-ડે સિરીઝ નહીં રમે, રોહિત ટેસ્ટમાંથી બહાર

ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ સતત ચર્ચામાં છે અને ભારત માટે ટેન્શન સતત વધી રહ્યું છે.

ટીમ ઈન્ડિયામાં આંતરિક વિખવાદ? કોહલી વન-ડે સિરીઝ નહીં રમે, રોહિત ટેસ્ટમાંથી બહાર
X

ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પ્રવાસ સતત ચર્ચામાં છે અને ભારત માટે ટેન્શન સતત વધી રહ્યું છે. પ્રથમ ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ હવે વિરાટ કોહલીએ વનડે શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ ત્યારે થયું છે જ્યારે BCCIએ વિરાટ કોહલીને ODIની કેપ્ટનશીપથી હટાવી દીધો છે.

અહેવાલો અનુસાર, વિરાટ કોહલી પણ ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. વિરાટ કોહલીએ બોર્ડને જણાવ્યું હતું કે 11 જાન્યુઆરીએ તેની પુત્રી વામિકાની પ્રથમ જન્મદિવસ છે અને તે તેના પરિવાર સાથે ઉજવવા માંગે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ 11 જાન્યુઆરીથી રમાશે અને તે વિરાટ કોહલીની 100મી ટેસ્ટ હશે, તેથી આ ટેસ્ટ બાદ વિરાટ ODI સીરિઝ દરમિયાન પરિવાર સાથે સમય વિતાવી શકશે.

તમને જણાવી દઈએ કે ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન વિરાટ કોહલી પહેલા રોહિત શર્મા હેમસ્ટ્રિંગમાં તણાવને કારણે 3 અઠવાડિયાથી મેદાનથી દૂર છે. રોહિત શર્માની જગ્યાએ ગુજરાતના બેટ્સમેન પ્રિયાંક પંચાલને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Next Story