Connect Gujarat
Featured

રાજકોટ : રાત્રિ કરફયુ હોવા છતાં ટહેલવા નીકળેલાં 72 વાહનચાલકો ઝડપાયાં

રાજકોટ : રાત્રિ કરફયુ હોવા છતાં ટહેલવા નીકળેલાં 72 વાહનચાલકો ઝડપાયાં
X

રાજયમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખી રાજકોટમાં નાઇટ કરફયુ અમલમાં મુકાયો છે ત્યારે કરફયુમાં ટહેલવા નીકળેલાં 72 વાહનચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

શનિવારથી રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કર્ફ્યું ની શરુઆત કરવામાં આવી છે. રાજકોટ શહેરમાંં લાગુ કરવામાં આવેલ રાત્રી કરફયુની પ્રથમ રાત્રિ દરમિયાન પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કરફયુનો ભંગ કરનારા 74 લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યાં છે. તેમજ 72 જેટલા વાહન ડીટેઇન કર્યા છે. હવે તમને બતાવી રહયાં છે નાઇટ કરફયુ દરમિયાન કેવો હતો રાજકોટનો માહોલ…

Next Story