સુરત : બેલગાવીથી અજમેર વાયા સુરત માટે પ્લેન સેવાનો પ્રારંભ
BY Connect Gujarat21 Dec 2020 11:20 AM GMT
X
Connect Gujarat21 Dec 2020 11:20 AM GMT
કોરોના વાયરસની મહામારી બાદ હવે દેશ તથા વિદેશમાં ધીમે ધીમે વિમાની સેવાઓ બહાલ થઇ રહી છે. હવે સ્ટાર એર કર્ણાટકના બેલગાવીથી વાયા સુરત થઇ અજમેરની વિમાની સેવાનો મંગળવારના રોજથી પ્રારંભ કરવા જઇ રહી છે…
સુરત ખાતે એરપોર્ટ બન્યાં બાદ હવે દેશ તથા વિદેશના શહેરોને વિમાની માર્ગથી સાંકળવામાં આવી રહયાં છે. સુરતમાં રહેતાં ખ્વાજા ગરીબ નવાઝના અનુયાયીઓ હાલ ટ્રેન અને ખાનગી વાહનોમાં અજમેર શરીફ જતાં હોય છે. હવે તેમને વિમાની સેવાનો પણ લાભ મળવા જઇ રહયો છે. ઉડાન સ્કીમ હેઠળ સ્ટાર એર દ્વારા બુકીંગ શરૂ કરાતા ફેબ્રુઆરી સુધીની ટિકિટ બુક કરવામાં આવી રહી છે. કર્ણાટકના બેલગાવીથી ઉપડતું વિમાન સુરતમાં રોકાણ કરશે અને ત્યાંથી અજમેર માટે જવા રવાના થશે. આ ઉપરાંત પુષ્કર સહિતના રાજસ્થાનના અન્ય શહેરો જોવા જતાં લોકો પણ વિમાની સેવાનો ઉપયોગ કરી સમયનો બચાવ કરી શકશે…
Next Story