સુરત : યુવતીનો તાપી નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો મૃતદેહ

સુરતની તાપી નદીમાંથી કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતીનો મૃતદેહ મળી આવવાની ઘટનામાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવતી રાત્રે 3 વાગ્યે તાપી નદી તરફ એકલી જતી હોવાનું દેખાય છે.

New Update
  • કાપોદ્રા રહેતી યુવતીનો મૃતદેહ મળવાનો મામલો

  • તાપી નદીમાંથી મળ્યો હતો યુવતીનો મૃતદેહ

  • યુવતીના મૃતદેહનું પેનલPM કરવામાં આવ્યું

  • ડૂબી જવાથી યુવતીનું મોત થયાનું સામે આવ્યું

  • મૃતકના પરિજનોની પોલીસ સમક્ષ ન્યાયની માંગ

સુરતની તાપી નદીમાંથી કાપોદ્રા વિસ્તારમાં રહેતી યુવતીનો મૃતદેહ મળી આવવાની ઘટનામાંCCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મૃતક યુવતી રાત્રે 3 વાગ્યે તાપી નદી તરફ એકલી જતી હોવાનું દેખાય છે. આ સાથે પેનલPMમાં પણ તેની સાથે કશું અજુગતું ન થયાનું અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયાનું સામે આવ્યું છે.

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ દીનદયાળનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની 20 વર્ષીય યુવતી અનિતા અરવિંદ વાળા 2 દિવસ અગાઉ તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતીઅને બીજા દિવસે તેનો મૃતદેહ કાપોદ્રાના સિદ્ધકુટીરના તાપી નદીના કિનારેથી મળી આવ્યો હતો. જોકેયુવતીના મૃતદેહ પર ઈજાના કેઅન્ય કોઈપણ નિશાન મળ્યાં નહોતા. યુવતીના આંતરવસ્ત્ર ગાયબ હોયજેથી યુવતી સાથે અઘટિત ઘટના બની હોવાની આશંકાના પગલે પોલીસે સુરતની સ્મિમેર હોસ્પિટલ ખાતે મૃતદેહનું પેનલPM કરાવ્યું હતું.

પેનલPM રિપોર્ટમાં યુવતીનું મોત પાણીમાં ડૂબવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ તબીબોએ આપ્યું હતું. જે બાદ પોલીસે મૃતદેહ પરિવારના સભ્યોને સોંપી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જોકેબપોરના સમયે પરિવારજનો યુવતીનો મૃતદેહ લઈને કાપોદ્રા પોલીસ મથકે પહોચી હોબાળો મચાવ્યો હતોજ્યાં મોટી સંખ્યામાં યુવતીના સમાજના લોકો ભેગા થયા હતાઅને ન્યાયની માગ કરી હતી. અડધો કલાકની મથામણ અને પોલીસની સમજાવટ તેમજ આશ્વાસન બાદ પરિવાર યુવતીના મૃતદેહને લઈ અંતિમવિધિ માટે રવાના થયો હતો.

Read the Next Article

સુરત : શહેરમાં ખાડીપૂર બાદ રોગચાળાની સ્થિતિ,ઝાડા,ઉલટી,તાવ સહિતના કેસોમાં વધારાથી ફફડાટ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

New Update
  • ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ

  • ઝાડા ,ઉલટીતાવ સહિતના દર્દીઓમાં વધારો

  • મલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં પણ વધારો

  • આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી

  • સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

સુરતમાં ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે.ઝાડા ,ઉલટી,તાવ મેલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે.શહેરમાં જ્યાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.શહેરમાં ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય ઝાડાના 250 કેસ તેમજ તાવના 400 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલની OPDમાં 400થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમારના લક્ષણ  દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે.