અંકલેશ્વર :પડતર પ્રશ્ને તલાટીઓની હડતાળ, તાલુકાપંચાયતની તમામ કામગીરી ઠપ્પ
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વિવિધ પડતર પ્રશ્ને હડતાળ યોજી અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.