Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા 83 હજારને પાર,આજે વધુ 1175 નવા કેસ નોધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા 83 હજારને પાર,આજે વધુ 1175 નવા કેસ નોધાયા
X

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1175 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 16 દર્દીઓના મોત થયા છે.અને રાજ્યમાં આજે 1123 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 83262 પર પહોંચી છે. અને કુલ મૃત્યુઆંક 2855 થયો છે.

રાજ્યમાં આજે 1175 નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 163, અમદાવાદ કોર્પોરેશનમાં 155, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમાં 74, રાજકોટ કોર્પોરેશનમાં 67, જામનગર કોર્પોરેશન 65, પંચમહાલ 42, કચ્છ 35, દાહોદ 32, રાજકોટ 31, ભાવનગર 28, ભાવનગર કોર્પોરેશનમાં 27, મોરબી 26, વડોદરામાં 26, અમરેલીમાં 25, મહેસાણામાં 22, ભરૂચ 20 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 16 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,મહેસાણામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 નું મોત થયુ છે.

રાજ્યમાં હાલ 14454 એક્ટિવ કેસ છે, જ્યારે 65953 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14368 લોકો સ્ટેબલ છે.

Next Story