વડોદરા : વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફુટ, વરસાદે વિરામ લેતાં હાશકારો પણ પુરનું સંકટ યથાવત

New Update
વડોદરા : વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફુટ, વરસાદે વિરામ લેતાં હાશકારો પણ પુરનું સંકટ યથાવત

વડોદરામાં વરસી રહેલા અવિરત વરસાદના પગલે વિશ્વામિત્રી નદીમાં પુરની સ્થિતિ ઉભી થઇ છે. નદીની સપાટીમાં એક જ દિવસમાં 3 ફુટનો વધારો થતાં સપાટી 22 ફુટ પર પહોંચી છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફુટ છે પણ હાલ વરસાદે વિરામ લીધો હોવાથી લોકો તેમજ વહીવટીતંત્રએ હાશકારો લીધો છે….. 

વડોદરા શહેરમાંથી પસાર થતી  વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થતાં વડોદરા શહેર પર પુરનું સંકટ તોળાઇ રહ્યું છે.. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે અને હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફુટ છે. વરસાદે વિરામ લીધો હોવાથી નદીની સપાટી 22 ફુટ પર સ્થિર થવા પામી છે. શુક્રવારે સાંજે 6 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 19 ફુટ હતી અને સવારે 8 વાગ્યે સપાટી વધીને 22 ફુટ થઇ ગઇ હતી એક જ રાતમાં નદીની સપાટીમાં 3 ફુટનો વધારો થયો હતો. 

વરસાદ રોકાયો પણ આજવા ડેમમાંથી પાણી છોડાઇ રહ્યું છે

આજવા ડેમ ઓવરફ્લો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આજવા ડેમની સપાટી હાલ 211.65 ઉપર પહોંચી ગઇ છે. રવિવારના રોજ વડોદરામાં વરસાદે વિરામ લીધો છે. જોકે ઉપરવાસમાં આજવા ડેમમાંથી પાણીની આવકને પગલે વડોદરા પર મંડરાઇ રહેલા પુરનું સંકટ હજી ટળ્યું નથી.

બચાવ અને રાહત કામગીરી માટે NDRF અને ફાયરબ્રિગેડની ટીમો એલર્ટ

વડોદરા શહેરમાં સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. NDRF અને ફાયરબ્રિગેડની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. કોઇપણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. શુક્રવારે રાત્રે 400 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થાય તો વધુ લોકોના સ્થળાંતર માટે તંત્રએ તૈયારીઓ કરી રાખી છે. આઠ જેટલા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. 

ગત વર્ષે 31 જુલાઇએ વિશ્વામિત્રી નદીના પુરે વડોદરાને ધમરોળ્યું હતું

વડોદરા શહેરમાં ગત વર્ષે 31 જુલાઇ-2020ના રોજ એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ વરસતા પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું. અને આખુ વડોદરા પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. આ વર્ષે ફરી વડોદરા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમમાં નવા નીરની આવક થતાં વિશ્વામિત્રી નદીમાં પુર આવે તેવા સંજોગો ઉભા થયાં છે.

Read the Next Article

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર, દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આપી ચેતવણી

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં

New Update
yellq

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.                                                                                 

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે (5 જુલાઈ)  છૂટછવાયો  વરસાદ પડી શકે છે. IMD અનુસાર, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.  રાજસ્થાન ગુજરાત સહિત  ઉત્તરાખંડમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય છે. રુદ્રપ્રયાગ અને બાગેશ્વરમાં ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. બાગેશ્વરમાં બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભૂસ્ખલન અને નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કેદારનાથ યાત્રા પણ હાલ માટે બંધ કરવામાં આવી છે.                   

યુપી અને બિહારમાં હળવાથી મધ્યમ વરસાદ

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ અને તેરાઈ પ્રદેશોમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે પશ્ચિમી જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે. બિહારના ઘણા શહેરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં સતત મુશળધાર વરસાદ

રાજસ્થાનના કોટા, અજમેર અને પોખરણમાં 128  મીમી સુધી વરસાદ નોંધાયો છે. ઘણા બંધના દરવાજા ખોલવા પડ્યા છે. જોધપુર અને અજમેરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.