Connect Gujarat
વડોદરા 

વડોદરા : બાલીનીઝ રામાયણ ટુર્પ દ્વારા પારૂલ યુનિવર્સિટીમાં યોજાયો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

બાલીનીઝ રામાયણનો સમૃદ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમ પારુલ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયો હતો.

X

વડોદરા માં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા પારુલ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી સાથેના સહયોગથી ઇન્ડોનેશિયાના બાલીનીઝ રામાયણ ટુર્પ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.

બાલીનીઝ રામાયણનો સમૃદ્ધ સાંસ્કૃતિક કાર્યક્રમ પારુલ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયો હતો. જેનું આયોજન ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) ના સહયોગથી કરવામાં આવ્યું હતું. કલા અને સંસ્કૃતિની આ અનોખી અભિવ્યક્તિ ઇન્ડોનેશિયા સ્થિત જૂથ દ્વારા કરવામાં આવી હતી, દશાવતાર અને ધ ક્રાય ઓફ સીતા નામથી બે પર્ફોર્મન્સ રજૂ કરાયા હતા. જેમાં મંગલાચરણ સરસ્વતી વંદના, બાલીનું કેકેક ડાન્સ, રોયલ તીરંદાજી સ્પર્ધા અને શંકરા વરણામ પલ્લવીનો સમાવેશ કરાયો હતો, જેને નિહાળી હાજર સૌ મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમના બે મુખ્ય પર્ફોર્મન્સ પૈકી દશાવતાર ભગવાન વિષ્ણુના દસ પુનર્જન્મ વિશેની કવિતા પર આધારિત હતો, જ્યારે ધ ક્રાય ઑફ સીતા લંકામાં સીતા માના દુઃખ ભર્યા જીવન આધારિત હતો. ધ ક્રાય ઑફ સીતા એ બાલિનીસ નૃત્ય અને શાસ્ત્રીય ભારતીય નૃત્ય ઓડિસીનું સાંસ્કૃતિક મિશ્રણ છે, તે સંગીત, નૃત્ય, કઠપૂતળી અને કવિતા વાંચન સહિત બે દેશો વચ્ચે સાંસ્કૃતિક કડી બનાવવાનું કામ કરે છે. ઉપરાંત બાલીનીઝ રામાયણ મંડળે પરંપરાગત બાલિનીસ શૈલીમાં રામાયણ ગાથાને પુનઃ સંભળાવી હતી. કાર્યક્રમમાં ઓડિસી નૃત્ય પ્રદર્શનની પ્રથમ આઇટમ કવિ શંકરાચાર્યની પંક્તિઓ પર આધારિત મંગલાચરણ હતી. જ્યાં નર્તક મંગલાચરણની શરૂઆતમાં ભગવાન જગન્નાથને મુઠ્ઠીભર ફૂલો અર્પણ કરે છે. નૃત્યાંગના વંદના શરૂ કરે છે, જે દેવી સરસ્વતી વિષેના સંસ્કૃત શ્લોક પર આધારિત છે અને ત્રિખંડી પ્રાણ સાથે સમાપ્ત થાય છે. યુનિવર્સિટીના પર્ફોર્મિંગ આર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે સતત તેમની અભિવ્યક્ત કરવા માટે આવા સર્જનાત્મક પ્લેટફોર્મનું આયોજન કરે છે. જે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તેમને વિશ્વ સાથે જોડે છે. આ કાર્યક્રમે એક એવું વાતાવરણ ઊભું કર્યું જે ઉપસ્થિત તમામ કલાપ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે.

Next Story