Connect Gujarat
વડોદરા 

વડોદરા : તા. 18 જૂને આયોજિત PM મોદીનો રોડ-શો રદ્દ, ફક્ત જાહેર સભાનું આયોજન..

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક હોવાના કારણે પ્રધાનમંત્રી સહિત અનેક મંત્રીઓના રાજ્યના પ્રવાસ વધી ગયા છે.

વડોદરા : તા. 18 જૂને આયોજિત PM મોદીનો રોડ-શો રદ્દ, ફક્ત જાહેર સભાનું આયોજન..
X

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક હોવાના કારણે પ્રધાનમંત્રી સહિત અનેક મંત્રીઓના રાજ્યના પ્રવાસ વધી ગયા છે. અગાઉ પણ પ્રધાનમંત્રી અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી ચુક્યા છે. તેવામાં 10 જૂન અને 18 જૂનના રોજ રાજ્યમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી આવનાર છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 18 જૂનના રોડ પાવાગઢ અને વડોદરાની મુલાકાતે આવનાર છે, ત્યારે વડોદરા શહેરમાં તેઓના 5 કિમી લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગેની પુર્વ તૈયારીઓ પુર જોશમાં શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં આજે પીએમ નરેન્દ્ર મોદીનો રોડ-શો રદ્દ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હવે પાવાગઢથી સીધા જ તેઓ કાર્યક્રમના સ્થળ પર પહોંચશે તેવું સુત્રોએ જણાવ્યું છે. જોકે, એક વખત રોડ શોનો રૂટ બદલાતા પાલિકા સહિતના તંત્રએ નવા રૂટ પર કામગીરી શરૂ કરી હતી. ગતરોજ કામગીરીની સમીક્ષા કરવા માટે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા હતા. એક તરફ વડોદરાના તંત્ર દ્વારા તૈયારીઓ જલ્દી પુરી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. તો બીજી તરફ આજે એકાએક પીએમ મોદીનો રોડ-શો રદ્દ કરી દેવામાં આવ્યો છે.

Next Story