Connect Gujarat
દુનિયા

યુક્રેનના ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું, ભારે ગોળીબાર દરમિયાન ગુમાવ્યો જીવ

યુક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.

યુક્રેનના ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું, ભારે ગોળીબાર દરમિયાન ગુમાવ્યો જીવ
X

યુક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. નવીન નામનો વિદ્યાર્થી કર્ણાટકનો હોવાનું સામે આવ્યું છે.રશિયાની સેના યુક્રનમાં આકાશમાંથી મિસાઇલ તો જ્યારે બીજી તરફ યુક્રેનનાં મોટા શહેરેમાં તોપના ગોળા વરસાવી રહી છે.

રશિયાની સેનાના આક્રમક હુમલાથી કિવ-ખાર્કિવ ધ્રુજી ઊઠ્યું છે. રશિયન સેનાએ યુક્રેનનાં કેટલાક શહેરોને ઘેરી પણ લીધા છે. તેમાં ખેરસન શહેરનો પણ સમાવેશ થાય છે. ખેરસન શહેરના મેયર, ઇગોર કોલયખાયેવે દાવો કર્યો છે કે રશિયન સૈન્યએ શહેરને બ્લોક કરી દીધું છે. મતલબ કે હવે કોઈ પણ વ્યક્તિ શહેરમાં અંદર કે બહાર જઈ શકશે નહીં. યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા જણાવ્યું છે. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં તરત જ શહેરની બહાર નીકળી જાય.

Next Story