અંકલેશ્વર ખાતે કાર્યરત માં વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

New Update
અંકલેશ્વર ખાતે કાર્યરત માં વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

અંકલેશ્વર ખાતે કાર્યરત માં વિધ્યાવાસીની ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી સિદ્ધિવિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર

વાલિયા રોડ સ્થિત સિદ્ધિ વિનાયક સોસાયટી ના હોલ ખાતે આયોજીત રક્તદાન શિબિરમાં

વહેલી સવારથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા 100થી પણ વધુ

રક્તદાતાઓએ "રક્તદાન એ જ મહાદાન" સૂત્રને અનુસરીને રક્તદાન કર્યું હતું.

રક્તદાન શિબિરમાં ભરૂચની રેડક્રોસ સંસ્થા દ્વારા વિનામૂલ્યે સેવા પૂરી પાડવામાં

આવી હતી.

રક્તદાન

પ્રસંગે મા વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી આર એન શુક્લા અનિલ શુક્લા તેમજ

સિદ્ધિવિનાયક ટ્રસ્ટના દેવીદાસ પાટીલ સતેન્દ્ર શુક્લા સહિત મોટી સંખ્યામાં સભ્યો

તેમ જ રક્તદાતાઑ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે ઉપસ્થિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે

રક્તદાન એ સાચા અર્થમાં મહાદાન છે કેમ કે કોઈની જિંદગી એ બચાવે છે. આવી શિબિરો કે

આવા કેમ્પ થતા હોય એ આપણી સંસ્કૃતિ અને સમાજ પ્રત્યેની જાગૃતિ બતાવે છે. સમાજના

તમામ લોકોએ પોતે પણ આ રીતે રક્તદાનનો મહિમા સમજીને કોઈની જિંદગી માટે રક્તદાન

કરવું જોઈએ.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.