અંકલેશ્વરઃ પાલિકા સંચાલિત ડિસ્પેન્સરીનો ગાયનેક વિભાગ તોડી પડાતાં મુશ્કેલી

New Update
અંકલેશ્વરઃ પાલિકા સંચાલિત ડિસ્પેન્સરીનો ગાયનેક વિભાગ તોડી પડાતાં મુશ્કેલી

વિપક્ષે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરતાં પ્રમુખે કહ્યું, કમિટીની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાશે

અંકલેશ્વર શહેરમાં આવેલી નગર પાલિકા સંચાલિત ડીસ્પેન્સરીમાં સારવાર અર્થે ઘણા જરૂરીયાતમંદ આવતા હોય છે. સરકાર દ્વારા રૂપિયા ૪ કરોડના ખર્ચે આ ડિસ્પેન્સરીના નવ નિર્માણના કાર્ય માટે ગાયનેક વિભાગ તોડી પાડવામાં આવ્યો છે. બે મહિનાથી આ વિભાગ તોડી પાડવામાં આવતાં ગરીબ દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.

ખાનગી હોસ્પિટલની મોઘી ફી ગરીબ દર્દીઓ ભરી શકતા નથી આથી તેઓએની હાલત કફોડી બની છે. બે મહિના પહેલાં આ વિભાગ તોડી પાડવામાં આવ્યો હતો. આમ છતાં આજદિન સુધી નવ નિર્માણનું કાર્ય શરુ થયું નથી. ત્યારે લોકહિતમાં વિપક્ષ કોંગ્રેસના સભ્ય ભુપેન્દ્ર જાનીએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સામે આવેલી ડિસ્પેન્સરીમાં ગાયનેક વિભાગ શરુ કરવાની માંગ કરી છે.

આ તરફ નગર પાલિકા પ્રમુખનું કહેવું છે કે, ડિસ્પેન્સરી માટે પ્રથમ તબક્કામાં ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આથી આવનારા સમયમાં તેનું કામ શરુ થશે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સામે આવેલી ડિસ્પેન્સરી ખાતે ગાયનેક વિભાગ શરુ કરવા માટે નગરપાલિકાની કમિટીની બેઠકમાં ચર્ચા થયા બાદ નિર્ણય લેવામાં આવશે

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories