Home > Featured > ભરૂચ : અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલને “માં કાર્ડ” દ્વારા એવોર્ડ એનાયત, તબીબોમાં ખુશીની લાગણી
ભરૂચ : અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલને “માં કાર્ડ” દ્વારા એવોર્ડ એનાયત, તબીબોમાં ખુશીની લાગણી
BY Connect Gujarat29 Sep 2020 8:37 AM GMT
X
Connect Gujarat29 Sep 2020 8:37 AM GMT
ભરૂચ જિલ્લાની શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે અંકલેશ્વર શહેરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટે નામના મેળવી છે, ત્યારે ગુજરાત સરકાર સંચાલિત માં કાર્ડ યોજના દ્વારા સરદાર પટેલ હોસ્પિટલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટમાં હાર્ટને લગતી તમામ સારવાર આપવામાં આવે છે. સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટમાં માં કાર્ડ સહિત અન્ય સરકારી યોજના અંતર્ગત દર્દીઓને સારવાર આપવામાં આવે છે, ત્યારે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટને વર્ષ 2020માં સમગ્ર ભરૂચ જિલ્લાની શ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે માં કાર્ડ યોજના તરફથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, ત્યારે સરદાર પટેલ હોસ્પિટલને એવોર્ડ પ્રાપ્ત થતાં તબીબો સહિત હોસ્પિટલના સ્ટાફમાં ખુશીની લાગણી છવાઈ હતી.
Next Story