Home > Featured > ભરૂચ : રાજપારડી-નેત્રંગ રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 યુવાનોનું ઘટના સ્થળે મોત
ભરૂચ : રાજપારડી-નેત્રંગ રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 યુવાનોનું ઘટના સ્થળે મોત
BY Connect Gujarat13 Feb 2021 2:56 PM GMT
X
Connect Gujarat13 Feb 2021 2:56 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી-નેત્રંગ રોડ ઉપર ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 યુવાનોનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના રાજપારડી-નેત્રંગ રોડ ઉપર ગુંડેચા ગામના બસ સ્ટેન્ડ નજીક હાઇવા ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર સર્જાયો હતો, ત્યારે અકસ્માતમાં ગંભીર ઇજાના પગલે 2 યુવાનોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ રાજપારડી પોલીસ મથકનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર બન્ને યુવાનોના મૃતદેહને અવિધા સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. હાલ તો પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Next Story