Connect Gujarat
Featured

રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 91 હજારને પાર, આજે વધુ 1190 કેસ નોધાયા

રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસની સંખ્યા 91 હજારને પાર, આજે વધુ 1190 કેસ નોધાયા
X

રાજ્યમાં આજે કોરોના વાયરસના વધુ 1190 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 17 દર્દીઓના મોત થયા છે. જ્યારે રાજ્યમાં આજે 1193 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 91,329 પર પહોંચી છે.અને કુલ મૃત્યુઆંક 2964 થયો છે.

રાજ્યમાં આજે 1190 નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 169 , અમદાવાદ કોર્પોરેશનમાં 143, સુરત- 89, વડોદરા કોર્પોરેશનમાં 89, જામનગર કોર્પોરેશન - 79, રાજકોટ કોર્પોરેશન-66, વડોદરા-34, અમરેલી-30, ભાવનગર કોર્પોરેશન- 30, રાજકોટ-30, પંચમહાલ-28, કચ્છ- 27 મોરબી-24, ભરુચ-21, ભાવનગર-21, મહેસાણા-21, અમદાવાદ-20, ગાંધીનગર કોર્પોરેશન-20, દાહોદ-19, બનાસકાંઠા-17, દેવભૂમિ દ્વારકા-17, ગીર સોમનાથ-17, પાટણ-16, જુનાગઢ કોર્પોરેશન-15, બોટાદ-14, નર્મદા-14, જુનાગઢ-13, નવસરારી 12, છોટાઉદેપુર-11, મહિસાગર 11, જામનગરમાં 10, ગાંધીનગર-8, ખેડા-8, આણંદ-7, ડાંગ-7, સાબરકાંઠા-7, તાપી, 7, પોરબંદર-5, સુરેન્દ્રનગર-5, વલસાડ-5, અને અરવલ્લીમાં 4 કેસ નોંધાયા હતા.


રાજ્યમાં આજે 17 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, અમરેલી-1, આણંદ-1, કચ્છ-1, પાટણ-1, રાજકોટ-1, વડોદરા કોર્પોરેશનમાં 1, વલસાડમાં 1 નું મોત થયું છે.

રાજ્યમાં હાલ 14,864 એક્ટિવ કેસ છે, જ્યારે 73,501 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,773 લોકો સ્ટેબલ છે.

Next Story