Connect Gujarat
ગુજરાત

વલસાડમાં PTના લેક્ચર માટે મેદાનમાં જતી ધો.૧૧ની વિદ્યાર્થિનીનું મોત

વલસાડમાં PTના લેક્ચર માટે મેદાનમાં જતી ધો.૧૧ની વિદ્યાર્થિનીનું મોત
X

  • સ્કૂલમાં વિદ્યાર્થિનીને ખેંચ આવતા વિદ્યાર્થિનીનું મોત નિપજ્યુ

વલસાડમાં સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીને ખેંચ આવતા મોત નિપજ્યુ છે. સ્કૂલમાં PTના લેક્ચરમાં વિદ્યાર્થિનીને ખેંચ આવી હતી. વિદ્યાર્થિનીને ખેંચ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત થયું હતુ. શાળામાં વિદ્યાર્થિનીના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

મળતી વિગત અનુસાર સરસ્વતિ સ્કૂલમાં ધો.૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શાળામાં જ્યારે શારીરિક શિક્ષણના વિષયમાં હાજરી આપવા માટે મેદાન પર જઇ રહી હતી ત્યારે તેને અચાનક જ ખેંચ આવી ગઇ હતી અને તેને સારવાર અર્થે શાળા નજીકની સાફી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થિની કુદરત સામે હારી ગઇ હતી અને સારવાર દરમિયાન જ મોત થયુ હતું. જેથી વિદ્યાર્થિનીના પરિવારજનોને ઘટનાથી વાકેફ કરાતા તેઓ તરત જ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઘટનાના પગલે સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story