સુરત : ડીંડોલી વિસ્તારમાં કચરાની ગાડીએ યુવાનને અડફેટે લેતા નીપજ્યું મોત

New Update
સુરત : ડીંડોલી વિસ્તારમાં કચરાની ગાડીએ યુવાનને અડફેટે લેતા નીપજ્યું મોત

સુરત ડિંડોલી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક બાઈક સવારને અડફેટે લીધો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું. કચરાની ગાડીની અડફેટે બાઈક સવારના મોતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પાંચ જેટલી કચરાની ગાડીમાં તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

Advertisment W3.CSS

સુરત મહાનગર પાલિકાની કચરાની ગાડી હોય કે પછી બીઆરટીએસ બસ હોય જેના લીધે અક્સમાતના બનાવોમાં વધારો થઈ રહયો છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડી બાઈક ચાલક માટે કાળ બની છે. મંગળવારે વહેલી સવારે ડોર ટુ ડોર કચરાની ગાડીએ ડીંડોલી વિસ્તારમાં રહેતો મૂળ યુપીનો રહેવાસી 42 વર્ષીય રમેશ સહાનીને અડફેટે લીધો હતો. બાઈક સવાર રમેશનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતુ. બાઈક સવારના મોતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળતા પાંચ જેટલી કચરાની ગાડીમાં તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. રમેશ સહાની પત્ની, ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે રહેતા હતા, જેઓ ફર્નિચરનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલ આ મામલે ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ, સક્રિય કેસ 10 લાખથી વધુ છે

ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે, ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

Advertisment W3.CSS

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ- 19ના નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા 508 થઈ છે.

 જેમાં હોસ્પિટલમાં 17 દર્દીઓ દાખલ છે તેમજ 490 હોમ આઈસોલેશન છે. 72 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં અત્યારે કોરોનાના નવા 61 કેસ એક્ટિવ છે. જે 61 માંથી 18 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જો કે, અત્યારે 43 દર્દીઓ સારવાર હેઠળ છે. લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

 

 

Latest Stories