સુરત : સુશીલ ઉર્ફે ગુડ્ડુને પાંચ હત્યારાઓએ જાહેરમાં રહેંસી નાંખ્યો
સુરતમાં
સુર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચેના ગેંગવોર બાદ ફરી ગુનેગારોએ માથું ઉંચકયું
છે. ગોડાદરાના બૈજનાથ મંદિર પાસે ગત રાત્રીના સમયે સુશીલ નામના યુવાનને પાંચ
હત્યારાઓએ આવી જાહેરમાં રહેંસી નાંખ્યો હતો.
સુરતમાં
લોકડાઉનની વચ્ચે હત્યાના બનેલા બનાવે પોલીસને દોડતી કરી નાંખી છે. થોડા સમય પહેલાં
સુરતમાં સુર્યા મરાઠી અને હાર્દિક પટેલ વચ્ચે થયેલા ગેંગવોરમાં બંનેએ જીવ ગુમાવી
દીધાં હતાં. હાલમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે લોકો પોતાના ઘરોમાં કેદ હોવાથી
ગુનાખોરીનો ગ્રાફ નીચો ગયો હતો પણ ગતરાત્રીના સમયે બનેલાં હત્યાના બનાવે પોલીસને
દોડતી કરી નાંખી છે. સુરતના ગોડાદરામાં બૈજનાથ મંદિર પાસે વૃંદાવન સોસાયટીમાં
રહેતો સુશીલ ઉર્ફ ગુડ્ડુ બબન યાદવને ગતરાત્રીના સમયે જાહેરમાં રહેંસી નાંખી પાંચ
હત્યારાઓ ફરાર થઇ ગયાં હતાં. બનાવના કારણે વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું પણ
પોલીસ કાફલાએ દોડી આવી મામલો થાળે પાડયો હતો. મૃતક સુશિલની હત્યા અંગત અદાવતમાં થઇ
હોવાનું અનુમાન લગાવાય રહયું છે. હાલ તો પોલીસે ફરાર થઇ ગયેલાં આરોપીઓને ઝડપી
પાડવા કવાયત આદરી છે.