અંકલેશ્વર ONGC દ્વારા સ્વચ્છતા રથનો કરાયો પ્રારંભ

New Update
અંકલેશ્વર ONGC દ્વારા સ્વચ્છતા રથનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર ONGC એસેટ દ્વારા સ્વચ્છ ભારત પખવાડિયા અંતર્ગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. અને આ રથનાં માધ્યમ થી તાલુકનાં ગામોમાં લોકોને સફાઈ અંગે માહિતી આપીને જાગૃતતા લાવવાનાં પ્રયાસો કરવામાં આવશે.

અંકલેશ્વર ONGCનાં એસેટ મેનેજર પી.કે. દિલીપ દ્વારા સ્વચ્છ ભારત પખવાડિયા રથને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પ્રસંગે ONGCનાં એચઆર હેડ આર.કે. શર્મા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.