અરવલ્લી: સાબરકાંઠા જિલ્લાના રામપુરા કંપાના લોકો પદયાત્રા કરી મિની ઊંઝા પહોંચ્યા

New Update
અરવલ્લી: સાબરકાંઠા જિલ્લાના રામપુરા કંપાના લોકો પદયાત્રા કરી મિની ઊંઝા પહોંચ્યા

મોડાસાના ઉમિયા મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લાના રામપુરા કંપા ખાતેથી મોટી સંખ્યામાં પદયાત્રીઓએ આવી પહોંચ્યા હતા. આ તમામ લોકો છેલ્લા પચાસ વર્ષ કરતા પણ વધારે વર્ષથી ઉંઝા ખાતે પદયાત્રા કરીને જાય છે, પણ ગત વર્ષથી તેઓ મોડાસાના ઉમિયા મંદિરે આવે છે.publive-imageબીજા સૌથી મોટા ઉમિયા ધામ તરીકે ઓળખાતા એવા મોડાસા ઉમિયા મંદિરમાં ભક્તોનો એક સંઘ દર્શનાર્થે પહોંચ્યો હતો, જેનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંઘ દ્વારા રથ લઇને દર્શન કરવા માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રામપુરા કંપા ખાતેથી આવી પહોંચ્યો હતો, અને ઉમિયા મંદિરમાં ધ્વજા ચઢાવી હતી. દર વર્ષે ગામના લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે પગપાળા સંગ લઇને મંદિર પદયાત્રા કરીને આવી પહોંચે છે. મહત્વનું છે કે, ગત વર્ષથી રામપુરા કંપાના ગ્રામજનો દ્વારા મોડાસાના ઉમિયા મંદિરે પ્રથમવાર પદયાત્રા કરીને આવી પહોંચ્યા હતા. ગામના લોકોએ પદયાત્રા કરીને દર્શન કરવાની શરૂઆત ઊંજાના ઉમિયા ધામ ખાતે સત્તાવન વર્ષ પહેલા કરી હતી, ત્યારે હવે તેઓ દરવર્ષે મોડાસાના ઉમિયા મંદિર ખાતે પદયાત્રા કરીને દર્શન કરવા માટે ભાવપૂર્વક આવી પહોંચે છે.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.