ઓલપાડ નજીક આવેલા સરસ ગામે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી વિરબાઈ મા ચેરીટેબલ ટ્રસ્ટે સેવાની સુવાસ પ્રસરાવી

New Update
ઓલપાડ નજીક આવેલા  સરસ ગામે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી વિરબાઈ  મા  ચેરીટેબલ ટ્રસ્ટે સેવાની સુવાસ પ્રસરાવી

સુરત જિલ્લાના ઓલપાડ નજીક આવેલા સરસ ગામે સિધ્ધનાથ મહાદેવ મંદિરે શ્રી વિરબાઇ મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 17 વર્ષો થી પવિત્ર શ્રાવણ માસમાં સેવાની સુવાસ અવિરત પ્રસરાવવામાં આવી રહી છે.

શ્રી વિરબાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિધ્ધનાથ મહાદેવ મંદિરે પગપાળા દર્શનાર્થે આવતા ભક્તો તેમજ કાવડ યાત્રીઓ માટે શ્રાવણ માસના રવિવારે સાંજથી વહેલી સવાર સુધી ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવે છે, અને પ્રસાદી આરોગીને ભક્તો પણ ધન્યતાનો અનુભવ કરે છે.

publive-image

સિધ્ધનાથ મહાદેવ મંદિરે હાલમાં 3100 ગુલાબના ફૂલોથી શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જેના દર્શન માટે પણ દુરદુર થી શિવ ભક્તો ઉમટી રહયા છે.

ટ્રસ્ટના સુભાષભાઈ ઠકકરે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે શ્રી વિરબાઇ મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 17 વર્ષોથી પૂ.શ્રી જલારામ બાપાના ભુખાને ભોજનનાં સિદ્ધાંતને અનુસરીને સેવાકીય કાર્ય કોઈપણ ભેદભાવ વગર અવિરત ચલાવવામાં આવી રહ્યુ છે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.