છોટાઉદેપુર જિલ્લામાં અનિયમિત વીજ પુરવઠા અંગે ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યુ

New Update
છોટાઉદેપુર જિલ્લામાં અનિયમિત વીજ પુરવઠા અંગે ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યુ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાં રાજબોડેલી, ખરેડા, સિમરઘોડા, ઉન સહિતના ગામોમાં બે મહિનાથી અનિયમિત વીજ પુરવઠાને લઈ ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યુ હતુ.

બોડેલી નજીકના રાજબોડેલી, ખરેડા, સિમરઘોડા, ઉન સહિતના વિસ્તારમાં વીજ પુરવઠાને લઈ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના આગેવાનો એમ.જી.વી.સી. એલ કચેરીએ જઇ નાયબ ઇજનેર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી આવેદન આપ્યું હતુ.

આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા પાણી માટે તેમજ ખેતીમાં પડતી મુશ્કેલીને લઈ લોકો હાલાકી વેઠી રહ્યા છે. અને આખરે નાયબ ઇજનેર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. અંતે નાયબ ઇજનેર G.N. રાઠવા એ બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.