જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ફરજ દરમિયાન શહીદ જવાનને સન્માન સાથે અપાઇ અંતિમ વિદાઈ

New Update
જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ફરજ દરમિયાન શહીદ જવાનને સન્માન સાથે અપાઇ અંતિમ વિદાઈ

જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં દિલીપસિંહ અન્ય જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની વાન કોઈ કારણસર પલટી મારી જતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

Advertisment

શહીદ થનાર જવાન દિલીપસિંહ ભાવનગરના વલ્લભીપુરના કાનપર ગામના વતની છે. આ જવાનના શહીદ થવાના સમાચાર મળતાની સાથે પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો. તો સાથે સાથે જવાન દિલીપસિંહનાં માદરે વતન ભાવનગર જીલ્લાનાં કાનપર ગામમાં માતમ છવાઇ ગયો હતો. દિલીપસિંહ, તેની પત્ની અને પુત્રી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતા.

દિલીપસિંહને ત્રણ બહેનો છે જેમાં તેઓ સૌથી નાના ભાઇ હતાં. અત્રે ઉલેખનીય છે કે, તેમના કાકા પર આર્મીમાં હતા અને તેમના અને તેમના કાકાના દીકરા પણ આર્મીમાં નોકરી કરી રહ્યા છે. દિલીપસિંહ નો પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવા માટે વતન લાવવામાં આવ્યો અને આજરોજ વહેલી સવારે તેમને શ્રદ્ધાંજલિ, ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો હતો સાથે શહિદ દિલીપસિંહની અંતીમ યાત્રામાં સમસ્ત ગ્રામજનો અને આસપાસના ગામના લોકો સહિત દેશ પ્રેમી જનતાએ હાજરી વચ્ચે શહિદ જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.