/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/Submarine1456240141.jpg)
ભારત પરમાણુ હુમલાનો વળતો જવાબ આપવા માટેની ક્ષમતામાં વધારો કરવા જઇ રહ્યું છે. ભારત હવે જમીન, હવા અને પાણી ક્યાંયથી પણ પરમાણુ હુમલો કરવા સક્ષમ બનશે.
મળતી માહિતી મુજબ ભારત પાસે ટૂંક સમયમાં જ હવામાં એરક્રાફ્ટથી, જમીન પરથી ઇન્ટરકોન્ટિનેન્ટલ બ્લિસ્ટીક મિસાઇલ દ્વારા અને પાણી નીચેથી સબમરીન દ્વાર પરમાણુ મિસાઇલ છોડવામાં આવશે.
ભારત પાસે જમીનથી લાંબા અંતરના લક્ષ્યોના નિશાન સાધવા માટે અગ્નિ મિસાઇલો ઘણાં વખત પહેલાથી છે. તે સાથે જ હવાઇ હુમલો કરવા માટે સક્ષમ ફાઇટર એરક્રાફ્ટ પણ છે. માત્ર સમુદ્રથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ભારત પાસે નહોતી. તે પણ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઇ રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ ભારતની પ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરિન આઇએનએસ અરિહંતનો આ વર્ષે ઓગષ્ટમાં નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આઇએનએસ અરિહંતમાં 750 અને 3500 કિમીની ક્ષમતા ધરાવતી મિસાઇલો છે.
સુત્રોના જણાવ્યા મુજબ 6 હજાર ટન વજન ધરાવતા અરિહંત ન્યુક્લિયર બ્લાસ્ટિક મિસાઇલ સાથે પાણીની નીચે જવા માટે હાલમાં તૈયાર નથી.